Article Index |
---|
કોલેરાનો ઉપચાર |
પ્રવાહીની પદ્ધતીની સલાહ |
All Pages |
Page 1 of 2
ઉપચાર પદ્ધતીને જોડનારૂ ઉલ્ટી બંધ થાય પછી તરત જ જીવાણુનાશક દવા આપવી જોઇએ, જે સાધારણપણે મોઢેથી ફરીથી પાણી સાથે ભેળવીને ૩ થી ૪ કલાક પછી આપવી જોઇએ. શિરા દ્વારા અપાતી જીવાણુનાશક દવાનો કોઇ ખાસ ફાયદો નથી. બીજી કોઇ પણ દવા કોલેરાને મટાડવા નહી આપવી જોઇએ જેવી કે જુલાબ વિરોધી, ઉલ્ટી થવા વિરોધી, અવારનવાર જોર કરવા વિરોધી, હૃદયને સ્ફુર્તિકારક દવા વિરોધી અને corticosteroids. જીવાણુનાશક વાપરવામાં આવતી દવા tetrocycline, doxycycline Furazolidinen and Bactrim છે.
કોલેરાની સ્વચ્છતાના ઉપાયો
પાણી ઉપર નિયંત્રણ: કોલેરાના પ્રસારણ માટે પાણી એક બહુ મહત્વનુ માધ્યમ છે. તેનો બરોબર રીતે ઉપયોગ કરવા માટે યોગ્ય પગલા ભરવા જોઇએ અથવા બધાય વપરાશ માટે સુરક્ષિત પાણી સમુદાયના સંકલ્પ માટે (પીવાના પાણી માટે, ધોવા માટે અને રાંધવા માટે.) શહેરમાં સારી રીતે તૈયાર કરેલ પીવાનુ પાણી chlorine વાપરીને બધાય કુંટુંબો માટે મળવુ જોઇએ. આ પાણી ઘરમાં સાંકડા મોઢાવાળા અને ઢાકેલા વાસણોમાં ભરીને રાખવુ જોઇએ, ગામડામાં પાણીને ઉકાળીને અથવા તેમાંchlorine નાખીને સુરક્ષિત રીતે મળવુ જોઇએ.
Chemoprophylaxis
મોટા ભાગનો Chemoprophylaxis કોલેરાના ગંભીર કિસ્સાઓ ન થાય એટલા માટે સંપુર્ણ સમુદાય માટે વાપરવાની સલાહ નથી અપાતી.
રોગ અવરોધક રસ્સી
કોલેરાની રોગ અવરોધક રસ્સી ફક્ત એક જ ચોક્કસ રોગ પ્રતિબંધક કોલેરા વિરૂદ્ધ મળતી દવા છે.
માત્રા
પ્રાથમિક રોગના ચેપથી મુક્ત થવા બે બરોબરની માત્રામાં મળે છે, જે ચામડીની નીચે શિરા દ્વારા ચાર થી ૬ અઠવાડીયાના અંતરે અપાય છે. આ રસ્સી એક વર્ષથી ઓછી ઉમરના બાળકોને નથી અપાતી.
પ્રતિક્રિયાઓ
કોલેરામાં રસ્સી મુકવાની પદ્ધતી સાધારણપણે સ્થાનિક નાજુકતા, હળવી સુજ, કોઇવાર લાલાશ અને ક્યારેક ક્યારેક હળવાથી સાધારણ ઉષ્ણતામાનનુ ઉંચે ચડવાને લીધે થાય છે.
સુરક્ષાત્મક કિંમત
તાજેતરમાં મળતી સુરક્ષાત્મક રસ્સીની કિંમત લગભગ અંદાજે ૫૦% ત્રણથી છ મહીનાના સમય માટે મળે છે. સંક્ષેપમાં, તાજેતરમાં મળતી કોલેરાની રસ્સી આ રોગને નિયંત્રણમાં લાવવા અને રોકવા માટે મદદરૂપ નથી. તે એક બીજા રોકવાના માપો જેવા કે રોગની પ્રતિબંધક ઉપચારની દવા, સ્વચ્છતા અને સ્વચ્છતાને લગતુ શિક્ષણ વાપરી શકાય છે. વિશ્વ સ્વાસ્થય સભા મે, ૧૯૭૩માં કોલેરાની રસ્સીનુ પ્રમાણપત્રની જરૂરીયાત અંતરરાષ્ટ્રીય સ્તર ઉપર નાબુદ કરી, તે છતા કેટલાક થોડા દેશો (દા.ત. સુદાન, લીબ્યા)એ આ પ્રમાણપત્રની માંગ ચાલુ રાખી છે.
કોલેરા ઉપર સ્વાસ્થયનુ શિક્ષણ
સૌથી પ્રભાવી રોગ પ્રતિબંધક દવા ઉપર કદાચ સ્વાસ્થયનુ શિક્ષણ અને તે સીધી રીતે મુખ્ય રૂપમાં નિર્દેશિત કરવુ જોઇએ:
- અસરકારક અને સરળતા મોઢેથી ફરીથી પાણી સાથે ભેળવવાની પદ્ધતી.
- તત્પર ઉપચાર માટે વ્હેલા રજુ કરવાના ફાયદા.
- ખોરાકને સ્વચ્છતા રાખવાની ટેવો.
- સંડાસ ગયા પછી અને ખોરાક લેતા પહેલા હાથ ધોવા જોઇએ.
- રાંધેલો અને ગરમ કરેલો ખોરાક અને સુરક્ષિત પાણીના ફાયદાઓ. કારણકે કોલેરા એક મુખ્ય ગરીબનો, જે અજાણ છે, તેમનો રોગ છે એટલે આ જુથોને પહેલા તેમની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરવો જોઇએ.
પાણી અને electrolytes નુ બદલવુ બહુ મહત્વનુ છે. તે મોઢેથી અથવા નસો દ્વારા આપી શકાય છે.
નૈદાનિક સંચાલન
વ્હેલો ઉપચાર ઘણા બધા કિસ્સાઓમાં મોઢેથી ફરીથી પાણી ભેળવીને કરાતી પદ્ધતી, કોલેરાને લીધે થતી મૃત્યુની સંખ્યા ૧% કરતા ઓછી કરી શકાય છે. જો વ્હેલો ઉપચાર મોડો થાય અથવા અપૂરતો હોય તો પાણીના સુકાઈ જવાને લીધે અને તેના ફેલાવાને લીધે શારિરીક શક્તિપાત ઝડપથી થાય છે.
અ. મોઢેથી ફરી પાણી સાથે ભળી જવાની પદ્ધતી
હળવા કિસ્સાઓમાં મોઢેથી ફરી પાણી સાથે ભળી જવા માટે મીઠુ લેવાની ભલામણ કરવામાં આવે છે.
ભલામણ કરેલ ORS solution - WHO formula.
ORS ની રચના
(ચોખ્ખુ વજન = ૨૭.૯ ગ્રામ)
ORS પાવડર રૂપમાં નીચે જણાવેલ રચના પ્રમાણે WHO ની ભલામણ પ્રમાણે મળે છે. આ પાવડર એક લીટર પાણીમાં ઓગાળીને નીચે બતાવેલ ટેબલ પ્રમાણે મળે છે:
Sr. No | મિશ્રણનુ ઘટક | માત્રા |
૧) | સોડીયમ ક્લોરાઈડ IP | ૩.૫ ગ્રામ |
૨) | પોટેશિયમ ક્લોરાઇડ IP | ૧.૫ ગ્રામ |
૩) | સોડીયમ સિટ્રેટ IP | ૨.૯ ગ્રામ |
૪) | ગ્લુકોસ એન્હાયડ્રોસ IP | ૨૦.૦ ગ્રામ |
ઉમર પ્રમાણે ORS ની જરૂરીયાત નીચે બતાવેલ છે:
ORS નુ વિગતવાર નોંધપત્રક ૪ કલાક છે
ઉમર | માત્રા |
૦-૬ મહીના | ૨૫૦ મિલીલીટર (૧/૪ લીટર) |
૬ મહીનાથી એક વર્ષ | ૫૦૦ મિલીલીટર (૧/૨ લીટર) |
૧ વર્ષ થી ૨ વર્ષ | ૭૫૦ મિલીલીટર(૩/૪ લીટર) |
૨ થી ૫ વર્ષ | ૧ લીટર |
૫ વર્ષ થી ૧૫ વર્ષ | ૧ થી ૨ લીટર |
૧૫ વર્ષ કરતા વધારે | ૨ થી ૪ લીટર |
- જો દર્દીને તરસ લાગી હોય અને તેને વધારે પીવુ હોય તો તેને પીવા દયો.
- પાણી ફરીથી ભરાઈ ગયેલુ હોય તો પ્રાપ્ત કર્યા પછી ORS Solution વાપરેલી ખોટ ભરવા માટે ચાલુ રાખવુ. શુદ્ધ પાણી અને ઘરમાં મળતા પ્રવાહી આપી શકાય છે.
ORSની રજુઆત ઉપચાર કરવાની કિંમત ઓછી કરી નાખે છે અને તે વિકુત મનોદશા અને ફરીથી પાણી ભળી જવાથી થતી મૃત્યુની સંખ્યા બહુ અસરકારક રીતે ઓછી કરી નાખી છે.
મૌખિક ફરીથી પાણી ભળી જવાની પદ્ધતીનો વિકાસ કોલેરા અને બીજા જુલાબને લગતા રોગોની સામે લડવા એક બહુ મોટો મોકો છે.
B. નસોમાં રસ્સી આપવાની પદ્ધતી - વિચ્છેદ કરેલા કોલેરા I.V. પ્રવાહીનુ સમિશ્રણ અને electrolyte ની જરૂર છે.
ઉમર પ્રમાણે I.V.નુ સમિશ્રણની જરૂરીયાત
ઉમરની તક્તેવારી | માત્રાની આવશ્યકતા | આવર્તન (સમય પ્રમાણે) |
શિશુ | ૩૦ મિલીલીટર/કિલોગ્રામ શરીરનુ વજન ૭૦ મિલીલીટર/કિલોગ્રામ શરીરનુ વજન |
પહેલો કલાક આગળના પાંચ કલાકો |
મોટા બાળકો/પુખ્ત વયના | ૩૦ મિલીલીટર/કિલોગ્રામ શરીરનુ વજન ૭૦ મિલીલીટર/કિલોગ્રામ શરીરનુ વજન |
પહેલી ૩૦ મિનીટ પછીના ૨.૧/૨ કલાકો |