પૌષ્ટીક આહાર તૈયાર કરતી વખતે યોગ્ય કાળજી રાખવી, જેનાથી માતાના દુધનો ગુણધર્મ સુધારી શકાય. માતાના દુધને વધારે પડતુ પાણીવાળુ, અથવા પાતળુ નહી કરવુ એ વિશ્વાસ રાખીને કે તે ગળી જવા માટે અથવા પચવા માટે આસાન થાય. આનુ ઊત્કૃષ્ટ ઉદાહરણ પાતળી ’દાળ’નુ પાણી છે. અહીયા સુધી કે નાના બાળકો અર્ધો ઘટ્ટ ખોરાક સરળતાથી ખાશે અને વધારે પડતુ પાતળુ કરવાનુ પરિણામ કિમતી કેલરી ગુમાવવુ છે.
બીનજરૂરી પોષક તત્વોના નુકશાનથી બચવુ જોઇએ. દા.ત. શાકભાજી સુધાર્યા પછી નાનકડા ટુકડા કરીને ધોવી નહી. જેટલા નાનકડા ટુકડા કરશો તેટલા પોષક તત્વો ઓછા થશે. ખોરાક બનાવતી વખતે હંમેશા ઓછુ પાણી વાપરો અને તે બનાવવા માટે લગતુ પાણી સાથે ખોરાકને છુંદી નાખો. વધારે પડતુ પાણી ઉમેરીને પછી ફેકી દેવુ, પરિણામમાં પાણીના ઓગળી જાય તેવા પોષક તત્વો ગુમાવીએ છીએ અને તેનાથી દુર રહેવુ જોઇએ. ફળના છોતરા, કઠોરની ચામડી, અને શાકભાજીના રેસા સંપુર્ણપણે શરૂઆતથી છુંદવા જોઇએ કારણકે તેને લીધે અપચો થાય છે.

નમુનાનો ચારો: જમવાનો પહાડ.
એક ૧.૧/૨ પ્યાલો છુંદેલા અનાજનો આહાર, શાકભાજી (આંગળીનો આહાર), બટેટા, પાંદડાવાળી શાકભાજી, ઉકાળેલુ/તળેલુ ઈંડુ (છુંદેલુ), છુંદેલી અને રાંધેલી માછલી, (મસાલા વીના). ઓછામાં ઓછા ચાર વાર એક દિવસમાં. જ્યાં સુધી તમારૂ બાળક એક વર્ષનુ થાય, ત્યારે તેણે લેવુ :
દુધ | ૨ થી ૩ કપ |
ડાળ | ૨ ચમચી |
ઈંડુ | ૧ |
માંસ/માછલી | ૨ ચમચી |
રાંધેલી લીલી અથવા પીળી શાકભાજી | ૨ ચમચી |
બીજા શાકભાજી, બટેટા મળીને | ૨ ચમચી |
વિટામિન C માટે ફળો | ૧ |
બીજા ફળો | ૧/૪ કપ |
રાંધેલા ચોખા | ૧/૪ કપ |
ચાપતી/બ્રેડ | ૧/૨ થી ૧ |
માખણ/વનસ્પતી ઘી | ૧ ચમચી |
નીચે બતાવેલી નોંધો
- બાળક એક વર્ષનુ થાય અને બીમાર હોય ત્યારે પણ સ્તનપાન કરાવવુ.
- તમને તરસ પ્રમાણે પાણીને ઉકાળવુ અને ઠારવુ.
- બીમારી દરમ્યાન સામાન્ય રીતે, તે વિરોધ કરે તો પણ, સ્તનપાન કરાવવુ.
- ઝાડા થાય ત્યારે બાળકને ઘણુ બધુ પ્રવાહી આપવુ. સાચુ કહીયે તો સાફ ઉકળેલ પાણીનો દરેક પ્યાલો (૨૫૦ ગ્રામ) તેને આવતા દરેક ઝાડાના જેટલો આપવો જોઇએ.
જવનો ખોરાક કેવી રીતે બનાવી શકાય ?
- રાતોરાત ભીજવો.
- પાણીને અને ટાઈને ભેજવાળા કપડાને બહાર કાઢો અને હુફાળી જગ્યામાં રાખો. (ફણગાએલા)
- ૪૮ કલાક પછી જ્યારે ફણગાઓ નીકળે ત્યારે તેને સુર્યના પ્રકાશમાં સુકવો અથવા શેકવા મુકો.
- તેમાંથી લોટ બનાવો.
સારી રીતે રાંધેલુ અને છુંદેલુ અનાજ દુધની અને ખાંડની સાથે ભેળવીને વધારે કેલરી અને પ્રોટીનની જરૂરીયાત માટે આપી શકાય છે. ફુગેલ કઠોળ અને વાલ વગેરે વાપરી શકાય છે. અનાજ જેવા કે ઘઊ, બાજરો, નાચણી, જુવાર અને કઠોળ જેવા કે મગ (પુરા) ફણગાવી શકાય છે.
ફાયદાઓ
- કેલરીનો વપરાશ વધારી શકાય છે. ફણગાવવાની પ્રક્રિયા દરમ્યાન સ્ટાર્ચ, પાચક રસના maltose વધારે પડતા ઉત્પાદનને લીધે ખાંડમાં ફેરવી શકાય છે. આવી રીતે તેને malt ખાંડનો સ્વાદિષ્ટ ખોરાક કહેવાય છે. સ્ટાર્ચને ખાંડમાં પરિવર્તન કર્યા પછી, પાતળી કાંજી બને છે. આની સાથે શિશુ વધારે કાંજી ખાશે અથવા કાંજીને જાડી બનાવવા તેમાં વધારે લોટ ભેળવવામાં આવશે.
- આ ઉરજાવાળો ગાઢ ખોરાક બનાવવાનો મહત્વનો ફાયદો એ છે કે તે પહેલાથી રાંધેલો હોય છે. આ રીતે આ અનાજો ભુકા આકારમાં હવા બંધ બાટલીઓમાં ભરી શકાય છે. આ ઉકળતા પાણીમાં ભેળવી શકાય છે, થોડી મિનિટ રાંધીને શિશુને ખવડાવી શકાય છે.
- આના સિવાય ૧ થી ૧.૧/૨ ચમચી malt અનાજ કાંજી, ખીચડી અને બીજા ધાવણ છોડાવતા ખોરાકની સાથે ઉમેરી શકાય છે, જેમાંથી ચીકાશની માત્રા ઓછી થાય છે અને બાળક વધારે ખોરાક ખાય છે. આ એક બહુ સારો રસ્તો ધાવણ છોડવવાવાળો ખોરાક કરતા ઉર્જાની ઘનતા વધારવાનો છે.
maltની પ્રક્રિયા riboflavin, niacin ના પાત્રને વધારે છે. જુદીજુદી દાળો અને કઠોળમાં વિટામીન Bનો સમુદાય અને વિટામીન C ની માત્રા વધારે છે. તેમ છતા, આ ખોરાક આખો દિવસ ન આપવો જોઇએ, પણ આખા દિવસમાં ૧ થી ૨ વાર આપવો જોઇએ. આનુ કારણ એ છે કે બાળકે દરેક ખોરાકનો સ્વાદ વિકસિત કરવો જોઇએ અને નકારવો ન જોઇએ. આના વપરાશની અવધિ ઓછી છે એટલે malting દરેક ત્રણ અથવા ચાર અઠવાડીયે કરવુ જોઇએ.